સંસ્થા શૈક્ષણિક ઉપરાંત સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે.
દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.
સામાજિક પ્રવૃત્તિઓ
મેડિકલ સેવાઓ - નેત્રનિદાન ઉપચાર કેમ્પ
સંસ્થામાં ધીરજલાલ પરમાણંદ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ,જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતી-અમરેલી તથા શિવાનંદ મીશન વિરનગરના સહયોગથી દર બે મહીને વિનામૂલ્યે નેત્ર નિદાન ઉપચાર કેમ્પ યોજાય છે.આજ સુધીમાં 103 કેમ્પ થઈ ચૂક્યા છે.
આ કેમ્પોમાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન તથા મોતીયો,ઝામર,પરવાળા વગેરે કોઈપણ પ્રકારના ઓપરેશનો,નેત્રમણી બેસાડવો તથા રહેવુ, જમવું વગેરે તમામ સવલતો વિનામૂલ્યે પુરી પાડે છે.

ચશ્મામુક્તિ શિબિર
સન્ 2002માં સંસ્થાએ સતત દસ દિવસની રેસીડેન્સીયલ ચશ્મામુક્તિ શિબિર રાખેલ તેમાં યોગની વિવિધ કસરતો દ્વારા ચશ્માના નંબરો ઉતારેલા.તેમાં ગુજરાતભરના કુલ 492 દર્દીઓએ લાભ લીધેલ.
પહેલા ધોરણથી જ સમયને અનુરૂપ બાળકોને અંગ્રેજીનું સામાન્યજ્ઞાન આપવામાં આવે છે.પરંતુ આ બધું બાળક ઉપર બોજારૂપે લાદવામાં આવતુ નથી.હસતા હસતા,રમતા રમતા બાળક જેમ જેમ વિષય આત્મસાત કરતો જાય તેમ આગળ વધવામાં આવે છે.
સંસ્થા દ્વારા યોજાયેલ વિવિધ રોગના નિદાન ઉપચાર કેમ્પ
કેમ્પનું નામ | સંખ્યા |
---|---|
નેત્રનિદાન ઉપચાર કેમ્પ | 103 |
સર્વરોગ નિદાન ઉપચાર કેમ્પ | 03 |
પોલીયો નિદાન ઉપચાર કેમ્પ | 02 |
આયુર્વેદિક નિદાન ઉપચાર કેમ્પ | 17 |
દંતયજ્ઞો | 04 |
એક્યુપ્રેશર કેમ્પ | 03 |
હોમિયોપેથી કેમ્પ | 02 |
અન્ય સેવાઓ
- સંસ્થા ભૂકંપ,અતિવૃષ્ટિ વગેરે કુદરતી કે માનવસર્જીત આપત્તિવેળાએ સરકાર સાથે કદમ મીલાવીને સામાજિક સેવાઓ કરે છે.
- ભૂકંપ વખતે સંસ્થા પાગરણ,અનાજ,કપડા વગેરે જીવનજરૂરી ચીજોના ટ્રકો લઈને કચ્છમાં દોડી ગયેલ.
- સુરત પૂર હોનારત વખતે સંસ્થાના માર્ગદર્શન હેઠળ હજારો ફુડ પેકેટ તાત્કાલિક પહોંચતા કરવામાં આવેલ.
- દુષ્કાળ વખતે સંસ્થાએ ત્રણ જગ્યાએ નિઃશુલ્ક કેટલ કેમ્પો ખોલેલા અનાવૃષ્ટિ-સુનામી વખતે સંસ્થાએ અનેક લોકોને આશરો આપેલો અને રહેવા જમવાની મફત વ્યવસ્થા કરી આપેલ.
- જળસંચય અભિયાન વખતે સન્ 2003માં સંસ્થાએ ત્રણ ચેકડેમો બનાવેલ.
- જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે કપડાં,અનાજ,દવાઓ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓનું પણ દાતાશ્રીઓના સહયોગથી પ્રસંગોપાત વિતરણ કરવામાં આવે છે.
રાષ્ટ્રીય ભાવનાની સંપોષક પ્રવૃત્તિઓ
- સંસ્થા દ્વારા 15મી ઓગષ્ટ,26મી જાન્યુઆરી,પર્યાવરણદિન,શિક્ષકદિન વગેરે રાષ્ટ્રીય પર્વોની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે.
- 51માં વનમહોત્સવ વખતે સંસ્થાના માર્ગદર્શન હેઠળ આશરે 600 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલુ.
- સ્કૂલ એડોલેશન્સ પ્રોગામ્સ અંતર્ગત એઈડ્સ જાગૃત્તિ માટે સતત બે વર્ષ સુધી સંસ્થાએ સારી કામગીરી કરેલી.
- સંસ્થા હાલ બાલઉર્જારક્ષકદળની પ્રવૃત્તિ પણ ચલાવે છે.
સંસ્થાની વિશેષતાઓ પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો દરેક ધોરણમાં બેંચની સુવિધા 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા…
સાહિત્ય પ્રકાશન શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા…