ધાર્મિક પ્રવૃત્તિઓ

દેવસેવા

સંસ્થામાં પ્રાર્થનામંદિર માત્ર છાત્રાલયના બાળકો પૂરતુ મર્યાદિત નથી.ગામમાંથી અનેક શ્રદ્ધાળુઓ નિયમિત મંદિરે દેવદર્શને આવે છે. જન્માષ્ટમી, રામનવમી, ગુરુપૂર્ણિમા, નરનારાયણ જયંતિ,  વામનજયંતિ, ગણેશ ચતુર્થી, હનુમાન જયંતિ, ધનુર્માસ વગેરે વિવિધ ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરરોજ ઠાકોરજીને ત્રણ વખત થાળ,રોંઢે મેવો,બે વખત આરતી વગેરે નિયમિત સેવાપૂજા થાય છે. ‘દેવંભૂત્વા દેવં યજેત’ વૈદિક આદર્શ પ્રમાણે ઠાકોરજીની સેવાપૂજા થાય છે.જે ભક્તોએ વાર્ષિક અનામત તિથિઓ બંધાવી છે. તેમના તરફથી તે દિવસે ઠાકોરજીને પાકો થાળ ધરાવવામાં આવે છે.

મહાપૂજા

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢમાં વૈદિક વિધિવિધાન પ્રમાણેની પાંચરાત્ર આગમ અંતર્ગત’વાસુદેવાહાત્મ્ય’માં આવતી મહાપુજા પ્રવર્તાવી.આ મહાપુજામાં ભગવાનના બધા અવતાર વરૂપો, દેવો, ઋષિઓ, નક્ષત્રો, ગ્રહો, દિગ્પાળો, તીર્થો, રુદ્રો વગેરેનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે. તેનાથી શારીરિક, માનસિક, કૌટુંબિક, શત્રુ સંબંધી, ભૂતપ્રેતાદિ કે ગ્રહનડતર સંબંધી દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે.

સંસ્થામાં વર્ષોથી ચાતુર્માસમાં મહાપુજા કરવામાં આવે છે.એક મહાપુજાનો ચાર્જ ફક્ત રૂ.2(બે)લેવામાં આવે છે.કોઈપણ ભક્ત પોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબની એક કે તેથી વધુ મહાપુજા કરાવી શકે છે. સવાર 7-00 થી 9-00 સુધી મહાપુજા વિધિ કરવામાં આવે છે.તે સમયે યજમાન મહાપુજામાં પુજનનો લાભ પણ લઈ શકે છે તથા અન્ય ભક્તોને દર્શન,પ્રસાદનો લાભ મળે છે.જે તિથિએ મહાપુજા કરાવવી હોય તેની આગોતરી નોંધણી કરાવવાથી થઈ શકે છે.મહાપુજામાં હાજર નહીં રહી શકનાર યજમાનના નામજોગ સંકલ્પ કરીને પૂજન કરવામાં આવે છે.

સત્સંગ સેવાઓ
સાધના કેન્દ્ર

વ્યક્તિ ગમે તે ધર્મસંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતો હોય,પરંતુ દરેક ધર્મમાં સાધનાને મહત્વ આપવામાં આવે છે.સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી સાંસારિક પળોજણોથી દૂર રહીને શાંતિથી ભજન ભક્તિ કરી શકે તે માટે સંસ્થામાં ‘શ્રી સ્વામિનારાયણ સાધના કેન્દ્ર’ ઘણાં સમયથી ચાલે છે. તે માટે સંસ્થામાં ભૂગર્ભ સાધના ખંડો બનાવેલા છે.તેમાં ગમે તે સત્સંગી સાધન-ભજન ભક્તિ કરી શકે છે.સાધકને વિનામૂલ્યે રહેવા, જમવાની તથા પ્રાથમિક સારવાર વગેરેની સગવડતા સંસ્થા તરફથી આપવામાં આવે છે.